મુલાકાત

માલપુરીયાની મુલાકાત.

2022ના જુલાઈ મહિનાની 8 તારીખે વહેલી સવારે પાલનપુર તાલુકાના માલપુરીયા ગામના મુનિજી મંદિરની શુભેચ્છા મુલાકાતે મહંત શ્રી તુલસીદાસ બાપુના આમંત્રણને સ્વિકારી જવાનું થયું, સાથે ચંપો, પારિજાત, ટગર જેવા ફુલછોડ અને બોરસલ્લી જેવા છાંયડો આપતા વૃક્ષ ના રોપા યાદગીરી રૂપે ત્યાં રોપાવા સાથે લઈને ગયો.

મારી એમની પ્રથમ મુલાકાત હતી. તુલસીદાસબાપુ જે રીતે ગાદી ઉપર બેઠેલા હતા એ જોતા મને સંદેહ ગયો કે તેઓ કોઈ ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે. એમના હાથ -પગ હલન ચલન કરી શકતા ન હતા પણ એમની માનસિક મનોબળ અને સ્વસ્થતા આસમાની હતી. આવી શારીરિક પરિસ્થિતિ વચ્ચે તેઓશ્રી સમગ્ર મંદિરનો વહીવટ કરી રહ્યા હતા એટલું જ નહી આત્મવિશ્વાસ એટલો કે તેઓ આપણી સાથે વાતચીત કરતા હોય ત્યારે આપણને સહેજે ખ્યાલ ન આવે કે તેઓ આટલી ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે.

દેશી વંશની ગીર તેમજ કાંકરેજ ગાયોની ગંગા ગૌશાળા ( ગૌ શાળા માટે કેટલો સુંદર શબ્દ પ્રયોગ) મંદિર પરિસરમાં આવેલી છે. આપણા દેશી ગૌવંશ ઝડપથી ઘટી રહ્યા છે ત્યારે આવી ગૌશાળાઓનું મહત્વ અનેક ઘણું વધી જતું હોય છે. ગાયો માટે ઘાસચારો જે જીવદયા પ્રેમીઓ મોકલાવે એના ઉપર ગૌશાળા નિર્ભર છે, કારણ કે મંદિર પાસે પોતાની એવી કોઈ જગ્યા નથી જ્યાં ઘાસચારો ઊગાડી ગાયોને નીરી શકાય. ગાયોનું જે દૂધ મળે એમાંથી ઘી બનાવી માર્કેટ ભાવે વેચવામાં આવે છે, એમાંથી થતી આવક માંથી પણ ગૌશાળા નિભાવણી ખર્ચ કાઢવામાં આવે છે.
દર પુનમે ગામની શાળાના બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. બ્રાહ્મણ, સાધુઓને પણ ભોજન પ્રસાદ આપવામાં આવે છે. દર ગુરુ પૂર્ણિમાના દિવસે સમસ્ત ગામ અહીં સામુહિક ભોજન પ્રસાદ લે છે. આ પરિસરમાં મહાદેવ નું પ્રાચિન મંદિર પણ છે. જોડે જ મહાદેવના નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દરેક ગામના મંદિરોમાં એક ગૌશાળા અવશ્ય હોવી જોઈએ જ્યાં આપણા દેશી ગૌવંશ ની જાળવણી અને નિભાવણી સાથે સાથે એમાંથી પૂરક આવક ઊભી કરી સેવાકીય કાર્યો થઈ શકે.

બાલારામના જંગલોને અડીને આવેલા માલપુરીયા સુધી જંગલમા ઊભેલી અસંખ્ય બોરડીઓના મીઠા – તાજા બોર બોરડીને ઝમકોળી બચપણમાં ખાવાની મઝા તેમજ ચિત્રાસણી પ્રાથમિક શાળામાં ભણતા એ વખતે માલપુરિયા પ્રાથમિક શાળામાં યોજાતા સંસ્કૃતિક કાર્યક્રમો મા ભાગ લેતા એ દિવસો તેમજ સઘનક્ષેત્રથી વાયા માલપુરિયા, સાંગ્રા- કરજોડા – સદરપુર થઈ પાલનપુરની બસ મુસાફરી ની આજથી 35 વર્ષ પહેલાની યાદો માલપુરીયાની મુલાકાત વખતે તાજી થઈ.

નિતીન એલ.પટેલ ( વડગામ)

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

પ્રાચીન અરવલ્લી અને તેની તળેટીમાં આવેલ ઐતિહાસિક કરમાવાદની મુલાકાત – ભાગ-૧

અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....
Read More
post-image
Uncategorized

પ્રકૃતિ દર્શન – સલીમ અલી પોઈન્ટ

૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More